Friday, December 1, 2023

Home ગુજરાત પંચમહાલ Injustice with Tribal Community : શહેરામાં આદિવાસી સમાજ સાથે પોલીસ દ્વારા અન્યાય મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર

Injustice with Tribal Community : શહેરામાં આદિવાસી સમાજ સાથે પોલીસ દ્વારા અન્યાય મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર

0
Injustice with Tribal Community : શહેરામાં આદિવાસી સમાજ સાથે પોલીસ દ્વારા અન્યાય મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

પંચમહાલ

Injustice with Tribal Community : શહેરા તાલુકામાં આદિવાસી સમાજ સાથે પોલીસ દ્વારા અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે શહેરા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ન્યાય માટે અરજ કરવામાં આવી, રાજકીય દ્વેષ ભાવ રાખી ખોટી ફરિયાદ કરાયાનો પણ આક્ષેપ કરાયો.

ગત 16મી ઓગસ્ટના રોજ શહેરા તાલુકાના બામરોલી ગામના જૂની વસાહત નિશાળ ફળિયામાં રહેતા નિલેશ ડાહ્યાભાઈ પરમારે શહેરા પોલીસ મથકે તેઓને બામરોલી ગામના જ પ્રવિણ નાગજીભાઈ પારગી, પંકજભાઈ ગેંદાલભાઈ ડામોર અને મુકેશભાઈ શંકરભાઈ ડામોરે મારમારી હાથમાં ફ્રેક્ચર કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસ દ્વારા ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.

જેમાં તેઓએ ખોટી ફરિયાદ થઈ હોવાનું જણાવ્યું હતું અને અન્યાયની લાગણી અનુભવતા મંગળવારના રોજ આદિવાસી સમાજ દ્વારા શહેરા પ્રાંત અધિકારી એન.કે.પ્રજાપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જે આવેદનપત્રમાં જણાવાયું છેકે 16મી ઓગસ્ટના રોજ નિલેશ ડાહ્યાભાઈ પરમાર પોતાની મોટરસાઈકલ લઈ ડામોર વાલાભાઈ હીરાભાઈના ખેતરની નજીક રસ્તા પરથી બાજુમાં આવેલી ગટરમાં પડેલા હતા અને નશો કરેલી હાલતમાં હતા અને ગટરમાં પડી જવાથી તેમને ઈજા થઈ હતી અને માનવતાના ધોરણે ખેતરમાલિકના પુત્ર ડામોર ધર્મેન્દ્ર વાલાભાઈએ સવારના 11વાગ્યે ગટરમાંથી કાઢી નરસાણા ગામે આવેલા હાડવૈદ્ય પાસે લઈ ગયા હતા જ્યાં તેઓને હાથે ફ્રેક્ચર થયું હોવાનું નિદાન કરતા ત્યાંથી શહેરા શિફા જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને સારવાર કરાવી હતી.

તેમ છતાં રાજકીય દબાણને લઈ ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ મથકે નિલેશભાઈ પરમાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી જે તદ્દન ખોટી હોવાનું આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે જ પોલીસ દ્વારા આદિવાસી સમાજ પર ખોટા અત્યાચાર થઈ રહ્યા હોવાના અને ખોટી ફરિયાદો નોંધાતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે કે જો કોઈ આદિવાસીના લોકો ફરિયાદ કરવા માટે આવે તો વિલંબથી લેવામાં આવે છે તો આદિવાસી સમાજને ન્યાય મળે તે માટે ખોટી ફરિયાદ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે આદિવાસી સમાજની આવેદનપત્રમાં માંગ કરાઈ છે.

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Independence Day Celebration : કચ્છમાં માંડવી શહેરમાં 77 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
Proud Work by 108 Ambulance Team : દુર્ગમ વિસ્તારમાં પણ 108 એમ્બ્યુલન્સની કબીલેદાદ કામગીરી
Election in Gujarat : ગુજરાતમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની પેટાચૂંટણીની તારીખો જાહેર
Crime Investigation : શું અબડાસાનાં ધારાસભ્યનાં પુત્રનાં કાળા કારનામાં અંગે તપાસ થશે?

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us